Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેશોદની શાળામાં 11 વિદ્યાર્થિની કોરોના સંક્રમિત આવતા જિલ્લાભરમાં ખળભળાટ

  • January 19, 2021 

કોરોના મહામારી વચ્ચે જ્યાં એક તરફ રસી આવી તો બીજી તરફ ગુજરાત સરકારે ધો 10 થી 12 ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા માટે મંજૂરી આપી હતી. જોકે આ બધા વચ્ચે જેનો ભય હતો તે જ થયું છે. જૂનાગઢ તાલુકાનાં કેશોદ ગામની શાળામાં 11 વિદ્યાર્થિનીઓ ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

 

દેશ અને દુનિયામાં કોરોના મહામારીએ માઝા મૂકતાં સરકાર દ્વારા સુરક્ષાના પગલે શાળા અને કોલેજો બંધ કરવામાં આવી હતી. સ્થિતિ હળવી થાય બાદ પણ શાળા અને કોલેજો ખોલવા અંગે અનેક ચર્ચાના અંતે શાળાઓ ખોલવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા ન ઈચ્છે તો ઓનલાઇન શિક્ષણની સુવિધા પણ ચાલુ રાખવામાં આવી છે. શાળા ખુલ્યા બાદ સોશ્યલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવા આવે છે પરંતુ તેમ છતાં શાળાએ જતાં વિદ્યાર્થીઓ કોરીનાની હડફેટે આવી રહ્યા છે.

 

 

 

તાજેતરમાં જુનાગઢ તાલુકાના કેશોદમાં આવેલ કે. એ. વણપરિયા કન્યા વિદ્યા મંદિરમાં વિદ્યાર્થિનીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ટેસ્ટ દરમિયાન 11 વિદ્યાર્થિનીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વાલીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. 11 વિદ્યાર્થીનીઓ પૈકી 8 વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.

 

 

 

ઘટનાની જાણ થતાં જ અર્બન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વધુ મળતી માહિતી પ્રમાણે કુલ 122 વિદ્યાર્થિનીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 11 વિદ્યાર્થિનીઓમાં લક્ષણો જોવા મળ્યા હતા, ત્યારે બાળકોને શાળાએ મોકલવા કેટલા અંશે સુરક્ષિત છે તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. રાજ્યમાં માધ્યમિક શિક્ષણ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય કરી શાળાઓ 11મી જાન્યુઆરીથી શરુ થઇ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદની શાળામાં 11વિદ્યાર્થિની કોરોના સંક્રમિત આવતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે અને વાલીઓની ચિંતામાં વધારો થયો છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application