Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનાં ૭૫ અમૃત સરોવર ખાતે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાઈ

  • June 21, 2023 

યોગ, એ ભારતીય સંસ્કૃતિએ અને આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ છે. આ મહામૂલી ભેટને વિશ્વ ફલક પર નામના અપાવવા જ નહી પરંતુ ભારત દેશ સહિત વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે, દુનિયાનાં લોકો યોગ અપનાવવાથી તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા યુનાઇટેડ નેશન્સની મહાસભામાં વર્ષ-૨૦૧૪માં ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો.



યુનાઇટેડ નેશન્સની મહાસભા દ્વારા વર્ષ ૨૦૧૫માં  આ પ્રસ્તાવનો સહર્ષ સ્વીકાર કરી, તારીખ ૨૧ મી જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. અને ત્યારથી તારીખ ૨૧મી જૂનના દિને દર વર્ષે સમગ્ર વિશ્વ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરે છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીનાં ભાગરૂપે તાપી જિલ્લા સહિત સમગ્ર દેશમાં ૭૫ અમૃત સરોવરોનું નિર્માણ થયું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તાપી જિલ્લાના ૭૫ અમૃત સરોવરો ખાતે પણ કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક ગ્રામજનો, વડિલો, સ્થાનિક પદાધિકારીઓ, શિક્ષકો અને ગામનાં આગેવાનોએ અમૃત સરોવર ખાતે યોગાભ્યાસ કરી આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application