Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ 19 પાકિસ્તાની ખલાસીઓને બચાવી લીધા

  • January 30, 2024 

ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ 19 પાકિસ્તાની ખલાસીઓને બચાવી લીધા છે. સોમાલી ચાંચિયાએ માછીમારી જહાજને હાઇજેક કરી લીધું હતું. સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળની કાર્યવાહી ચાલુ છે. ભારતીય નૌકાદળે દરિયામાં 19 પાકિસ્તાની ખલાસીઓને સોમાલી ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યા હતા. નૌકાદળે મેસેજ મળતા જ તરત જ કાર્યવાહી કરી અને પાકિસ્તાની નાગરિકોને બચાવી લીધા હતા.


એક ભારતીય સંરક્ષણ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ કોચીના દરિયાકાંઠેથી લગભગ 800 નોટિકલ માઈલ દૂર પૂર્વી સોમાલિયા નજીક ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરાયેલા ફિશિંગ જહાજ 'અલ નૈમી' અને તેના ક્રૂને બચાવ્યા હતા.  ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારી કરતા જહાજને બચાવ્યું છે. ભારતીય નૌકાદળે એક દિવસ પહેલા પણ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા માછીમારોને બચાવ્યા હતા. ચાંચિયાઓએ ઈરાની જહાજને હાઈજેક કર્યું હતું, જેમાં લગભગ 17 ક્રૂ મેમ્બર સવાર હતા. આ સાથે જ ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારી કરતા જહાજને બચાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application