Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામા જાહેર સુલેહ શાંતિ જાળવવા અર્થે સભા સરઘસબંધી ફરમાવાઈ

  • November 06, 2022 

ડાંગ જિલ્લામા 173-ડાંગ (અ.જ.જા) વિધાનસભાની ચૂંટણી-2022 નો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અન્વયે આગામી તા.01/12/2022 ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ચુંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને શાંતીપૂર્ણ વાતાવરણ જળવાઇ રહે તે માટે ફોજદારી કાર્યરીતી અંધિનિયમ - 1973 ની કલમ-144  મુજબ પગલાં લેવા પૂરતું કારણ હોવાતો અભિપ્રાય છે. જે ધ્યાને લેતા ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ધર્મેન્દ્રસિંહ જે જાડેજાએ (આઇ.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-144 મુજબ તેમને મળેલ સત્તાની રૂએ આજથી તા 10/12/2022ના રોજ સુધી જિલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે, અધિકૃત અને સક્ષમ અધિકારીશ્રી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કે તેથી વધુ શખ્શોએ ભેગા થવુ નહી. સભાઓ ભરવી કે બોલાવવી નહી તેમજ સરઘસ કાઢવુ નહી, જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સૂત્રો પોકારવા નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવા ફેલાવી નહી.




વધુમા આ હુકમ નીચેનાઓ પર લાગુ પડશે નહી. 1). ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમા હોય તેવી વ્યક્તીઓ. 2) ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તીઓ. 3) કોઇ લગ્નના વરધોડાને અથવા દેવળમા પ્રાથના કરતી બોનોફાઇડ વ્યક્તીઓ. 4) મંદિર, મસ્જિદ અથવા દેવળમા પ્રાથના કરતી બોનોફાઇડ વ્યક્તીઓ. 5) એસ.ટી.બસમા મુસાફરી કરવા માંગતા વ્યક્તીઓ. 6) અત્રેથી આપવામા આવેલ ખાસ કિસ્સા તરીકેની પરવાનગી.  આ જાહેરનામુ તા. 03/11/2022 થી 10/12/2022 સુધી ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમા અમલ થશે. આ હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્યક્તિ ફોજદારી અધિનિયમ – 1860ની કલમ- 188  મુજબ શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News