Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કોરોનાના અજગરી ભરડામાં નવા ૧૧૦ સપડાયા, મૃત્યુઆંક ૭૪૦

  • August 19, 2020 

સુરત શહેર સહિત જીલ્લામાં કોરોના વાયરસના કેસો કંઇ અંશે ઘટાડો નોધાયો છે. પરંતુ સુરતમાં રોજના સરેરાશ નવા ૨૩૦ જેટલા આવી રહયા છે.જેથી તંત્ર માટે  હજુ પણ ચિંતાનો વિષય છે. તે દરમ્યાન  મંગળવારે સુરતમાં બપોર સુધી ૧૧૦ કેસ નોધાયા છે. આ સાથે સુરતમાં ૧૭,૮૪૦ કેસો નોધાઇ ચુકયા છે. મૃત્યુઆંક ૭૪૦ થયો છે. તેની સામે અત્યાર સુધી ૧૪ હજાર લોકો સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

 

 સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થાય તે માટે તંત્ર અથાગ પ્રયાસ કરી રહી છે.તેમ છતાં કોરોનાનો કહેર જાવા મળી રહયો છે. ખાસ કરીને શહેરનાકતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે.તે દરમ્યાનલમંગળવારે બપોર સુધી સુરત શહેરમાં ૮૫ કેસ નોધાયા છે. આ સાથે શહેરમાં ૧૪,૧૮૦ કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો વધી રહ્ના છે. બપોર સુધીમાં ૨૫ કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૩,૬૬૦ કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૧૭,૮૪૦  પર પહોચ્યો છે. અત્યાર સુધી  ૭૪૦ ના મોત નિપજયા છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ૧૩,૯૯૪ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. મંગળવારે  નોધાયેલા નવા કેસોમાં તબીબો , કાપડ વેપારી,કાપડ વર્કર , ડાયમંડ વર્કર , નર્સ , પાલિકાના કર્મચારીઓ વગેરે સંક્રમિત થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News