Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જંબુસરનાં મહાપુરા ગામે શોર્ટ સર્કીટને કારણે ખેતરમાં આગ લાગતાં ઘઉંનો ઉભો પાક બળીને ખાખ થયો

  • March 11, 2023 

ભરૂચનાં જંબુસર તાલુકાનાં મહાપુરા ગામની સીમમાં વીજ વાયરનાં થાંભલા ઉપર શોર્ટ સર્કીટને પગલે આગ લાગી હતી. જેથી ઘઉંનો ઉભો પાક બળીને ખાખ થઇ જતા ખેડૂતને 50 હજારનું નુકસાન થયું છે. બનાવની વિગત એવી છે કે, જંબુસર તાલુકાનાં મહાપુરા ગામના માજી સરપંચ અને ખેડૂત સોમાભાઈ પટેલનું ગામની સીમમાં ખેતર આવેલું છે જેઓએ આ ખેતરમાં ઘઉંનો પાક કર્યો છે. જે ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન ઉપર થાંભલા પાસે શોર્ટ સર્કીટ થતા તણખા નીચે પડતા ઘઉંના ઉભા પાક સળગી ઉઠ્યો હતો.





આ અંગેની જાણ ખેડૂતને થતા તેઓએ દોડી આવી આગ બુજાવવાની કોશિશ કરી હતી. આગ વધુ ખેતરમાં પ્રસરે તે પહેલા તેઓએ આગ બુજાવી દીધી હતી અને વીજ કચેરીએ જાણ કરતા અધિકારી સ્થળ પર આવી ગયા હતા. આગને પગલે ખેડૂતને 50 હજારનું નુકસાન થયું છે. જોકે, આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application