ભરૂચ-એક તરફી પ્રેમ માં પાગલ પ્રેમીએ ગરબામાં સગીરાને બાથમાં લઈ ગળા પર ચપ્પુ મૂકી ઇજાઓ કરતા ચકચાર મચી જવા પામી હતી,થોડા સમય પહેલા સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને એક યુવતીનું જાહેરમાં ગળું કાંપી નાંખી હત્યા નિપજાવ્યાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી,તે જ પ્રકારની એક ઘટના બનતા ભરૂચ જિલ્લામાં રહી ગઇ હોય તેમ સામે આવી રહ્યું છે,જ્યાં એક તરફી પ્રેમ માં પાગલ યુવકે ભર ગરબા ની વચ્ચે જ સગીરા ને બાથ ભરી ચપ્પુથી હુમલો કર્યા નું સામે આવ્યું છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેઠા ગામ ખાતે મહાકાળી મંદિર આગળ ચાલતા ગરબામાં ૧૩ વર્ષીય સગીરા તેની બહેનપણી સાથે ગઇ હતી,તે જ દરમિયાન ગામ માંજ રહેતો નિલેશભાઈ વિષ્ણુ ભાઈ વસાવાએ અચાનક ચાલુ ગરબા દરમિયાન ગરબા નિહાળી રહેલ સગીરા પાસે ધસી જઈ તેને બાથ મારી લીધી હતી,જોકે સગીરાએ આ યુવાનની કરતૂત નો પ્રતિકાર કરી તેને ધક્કો માર્યો હતો,જે બાદ નિલેશ વસાવાએ પોતાના પાસે રહેલ ચપ્પુ કાઢી સગીરાના ગળાના ભાગે મૂકી દઈ તું મારી સાથે બોલતી કેમ નથી, તેમ કહી જાન થી મારી નાંખવાની ધમકીઓ આપી હાથમાં રહેલ ચપ્પુ વડે સગીરા ના ગળાના ભાગે લિશોટ મારતા નજીકમાં રહેલ અન્ય એક ઇસમે વચ્ચે પડી નિલેશ વસાવાને છોડાવ્યો હતો,ઘટનામાં ભોગ બનેલ સગીરા ના પરિવારે યુવાનની કરતૂતો અંગેની જાણ ઉમલ્લા પોલીસમાં કરતા ઉમલ્લા પોલીસે મામલા અંગે સગીરા ના પરિવાર ની ફરિયાદ લઇ ઘટનાને અંજામ આપનાર આરોપી નિલેશ વિષ્ણુ વસાવા નાઓને ઝડપી પડવાના ચક્રોગતિમાન કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500