Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં હાલ વેચાણ દસ્તાવેજોની સંખ્યા દોઢ ગણી થઈ

  • March 31, 2023 

ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં સામાન્ય દિવસોમાં 80થી 100 વેચાણ દસ્તાવેજો નોંધાય છે ત્યારે નવી જંત્રીમાં મહોલત હવે નજીક છે ત્યારે જુની જંત્રી પ્રમાણે ગાંધીનગર તાલુકાની કચેરીમાં સરેરાશ કરતા 50થી 60 વેચાણ દસ્તાવેજ વધુ થયા છે અને એક જ દિવસમાં 160થી વધુ વેચાણ દસ્તાવેજ નોંધાયા છે. અહીં હાલની સ્થિતિએ સવાર-સાંજ ત્રણ-ત્રણ સ્લોટમાં કામગીરી કરવામાં આવતી હતી તેમાં પણ વધારો કરીને કુલ સાત સ્લોટ રાખવામાં આવ્યા છે. સામાન્ય દિવસોમાં ગાંધીનગર તાલુકાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં 80થી 100  વેચાણ દસ્તાવેજ થતા હોય છે. જ્યારે સરકારે નવી જંત્રી આગામી તા.15મી એપ્રીલથી અમલ કરવાની જાહેરાત કરતા બિલ્ડરોની સાથે દસ્તાવેજ કરાવનાર અરજદારોમાં ખુશી ફેલાઇ ગઇ હતી અને મકાન-દુકાન સહિત મિલકતના દસ્તાવેજ કરાવવા લાગ્યા હતા.






હવે નવી જંત્રીની અમલવારીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વેચાણ દસ્તાવેજની સંખ્યા વધી રહી છે. બાનાખત, મોર્ગેજ, વેચાણ સહિતના વિવિધ દસ્તાવેજની વાત કરીએ તો કલેક્ટર કચેરી સ્થિત ગાંધીનગર તાલુકાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દરરોજના કુલ 200 જેટલા દસ્તાવેજો થાય છે જેમાં 80થી 100 જેટલા વેચાણ દસ્તાવેજોની સંખ્યા હોય છે હવે જ્યારે આ નવી જંત્રીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ એવરેજમાં પણ વધારો થઇ રહ્યો છે અને હાલની સ્થિતિએ વેચાણ દસ્તાવેજની સંખ્યા દોઢ ગણી વધી ગઇ છે અને હવે આગામી દિવસોમાં પણ જેમને વેચાણ દસ્તાવેજ કરવાનો બાકી છે તેવ માલીકો દસ્તાવેજ કરવા આવશે. હાલ 150થી 160 વેચાણ દસ્તાવેજ થાય છે. અગાઉ સવાર સાંજ ત્રણ ત્રણ સ્લોટમાં કામગીરી થતી હતી તેમાં પણ વધારો કરીને હાલ સાત સ્ટોલમાં કામગીરી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application