Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચમાં પૂર અસરગ્રસ્ત વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સ કામગીરી, લોકોની મેડિકલ તપાસ કરાઈ

  • August 29, 2024 

ભરૂચ જિલ્લાના ઉપરવાસના વરસાદ અને ભરૂચ જિલ્લામાં પણ પાછલા બે દીવસ સતત સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નર્મદા નદીમાં સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યુ હતું. જેને પગલે ભરૂચ જિલ્લાનાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતુ અને અગમચેતીના ભાગરૂપે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ૪૧૨ જેટલી ટીમ બનાવી સર્વેલન્સ કામગીરી હાથ ધરીવામાં આવી છે.


જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા નર્મદાનદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આરોગ્ય શાખાની મેડિકલ ટીમ દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૭ જેટલી ટીમ દ્નારા આ તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ સિવાય જિલ્લામાં સર્વેલન્સ કામગીરી કરીને ૩૭૪ જેટલા લોકોને આજે સ્થળ પર સારવાર પણ આપવામાં આવી હતી. પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં સગર્ભા માતાઓની વાત કરીએ તો, પૂર અસરગ્રસ્ત વિસ્તાર જૂનાબેટ વિસ્તારમાં રહેતી એક સગર્ભા માતાને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. હાલ તેઓ સ્વસ્થ છે. ભરૂચ જિલ્લા સહિત દરેક વિસ્તારોમાં સર્વેલન્સ કામગીરી કરી સારવાર આપવામાં આવી રહી છે. પીવાના પાણીનું સુપરકલોરીનેશન તથા ટેબ્લેટ ક્લોરીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે રોગચાળો ફેલાતો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારો સહિત ગ્રામ્ય કક્ષાએ પણ દવા છંટકાવ કામગીરી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News