Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં ચાલતા ગેરકાયદે કતલખાના મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપાયો મહત્વનો આદેશ

  • September 06, 2022 

રાજ્યમાં ચાલતા ગેરકાયદે કતલખાના મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને કતલખાના મામલે અગાઉ પણ પ્રશ્નો સામે આવ્યા હતા ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને જીપીસીબીને કડક કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો છે.17 સપ્ટેમ્બર સુધી એક્શન ટેકન રીપોર્ટ રજૂ કરવા માટે હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાની કમિટીઓ માત્ર કાગળ પર,વાસ્તવિકતામાં કોઈ અમલવારી થતી નથી તેમ હાઈકોર્ટે કહ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે અન્ય કેટલાક નિર્દેશ પણ આ મામલે કરવામાં આવ્યા છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં 19 સપ્ટેમ્બરે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.




મળતી વિગતો અનુસાર અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી હતી. રાજ્યભરમાં ચાલતા કતલખાનાઓમાં પ્રદૂષણ વિભાગ, ફૂડ સેફ્ટી એક્ટ, ટ્રાન્સપોર્ટ સહીતના વિભાગના કાયદાઓ લાગુ પડે છે. ત્યારે ગેરકાયેદે કેટલા કતલખાના ચાલે છે આ ઉપરાંત કાયદેસર કેટલા ચાલે છે એ તમામ બાબતે રીપોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. ત્યારે આજથી 10 વર્ષ પહેલા 2012ની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક રાજ્યોમાં કતલખાના સમિતિ બનાવી પ્રાણીઓને લગતા કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News