Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : વનરક્ષકની 823 જગ્યાઓ પર થશે સીધી ભરતી, ઓનલાઈન ફોર્મ તારીખ 01 નવેમ્બરથી તારીખ 15 સુધીમાં ભરાશે

  • October 18, 2022 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ સરકાર ધડાધડ નિર્ણયો લેવા માંડી છે. જેમાં રાજ્ય સરકારનાં વનમંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણ સ્થિતિ રાજ્યનાં યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યનાં વનવિભાગ હસ્તકની વર્ગ-3ની વનરક્ષકની 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.




વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મીડિયાને વિગતો આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ રાજ્યનાં યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે. વનવિભાગ હસ્તકની વનરક્ષક (બીટગાર્ડ)ની વર્ગ-3ની કુલ–823 જગ્યાઓ સીધી ભરતીથી કરાશે. આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે.




જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તારીખ 1લી નવેમ્બરથી તારીખ 15 નવેમ્બર સુધી  ચાલશે. આ ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો માટે ફી ભરવા માટે e-pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.




આ પરીક્ષા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોએ પોતાના જરૂરી પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે. રાજય સરકાર ઘ્વારા યુવાનોના હિતમાં ત્વરીત નિર્ણય લઈ અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલ ભરતી પરિક્ષા પૂર્ણ કરી, નવેસરની ખાલી પડેલ જગ્યાઓ અંગે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. બીટગાર્ડ વન અને વન્યપ્રાણીનું સંરક્ષણ અને સંવર્ધન માટે ખુબ જ પાયાની પોસ્ટ છે.




આવા બીટગાર્ડ મળવાથી વનો, વન્યપ્રાણીઓનું સંરક્ષણ-સંવર્ધન અને વનોના આજુબાજુ રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે મદદરૂપ થશે. અગાઉ વનરક્ષકની કુલ-334 જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ 334 જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ બીટગાર્ડ, વર્ગ-3ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો. જે અનુસાર પરિક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે. આ 334 જગ્યાઓમાંથી સફળ ઉમેદવારો-283 જેમાં 48 જગ્યાઓ ખાલી રહી છે. જેમાં નવી 775 જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ 48 એમ મળી કુલ–823 જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application