Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા તાલુકાનાં જીવણબારી ક્રોઝવેનું તાત્કાલિક સમારકામ કરાતાં ખાનપુર-બારતાડના ગ્રામજનોને રાહત

  • July 18, 2022 

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી  શહેર તેમજ ગ્રામ્યનાં માર્ગો સહિત નીચાણવાળી જગ્યાએ ક્રોઝવેનું પણ ધોવાણ થયું છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બારતાડ જીવણબારી ક્રોઝવેનું ભારે વરસાદમાં સ્ટ્રકચરને નુકશાન થયું હતું. આ ક્રોઝવે ખાનપુર-બારતાડના જીવાદોરી સમાન હોવાથી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા તાત્કાલિક જીવાણબારી ક્રોઝવેનું સમારકામ કરી ગ્રામજનો માટે ખુલ્લો મૂકાયો હતો. આ ક્રોઝવે મરામત કરી તૈયાર થતા ગ્રામજનો હવે સરળતાથી આવન-જાવન કરી રહ્યાં છે. ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application