Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જો તમે ફાઈલ રીટર્ન ના કરાવી હોય તો કરી દો, બાકી 200 % દંડ ભરવો પડશે

  • March 23, 2024 

જો કોઈ કરદાતાએ નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 માટે આવકવેરા રિટર્ન દાખલ નથી કર્યુ કે તેમાં કોઈ આવક બતાવવી ભુલી ગયો છે તો તે 31 માર્ચ 2024 સુધીમાં અપડેટ રિટર્ન (આઈટીઆર-યુ) દાખલ કરી શકે છે. જો કોઈ કરદાતા તેમાં ચૂકી જાય તો તેને 200 ટકા સુધીનો દંડ ભરવો પડી શકે છે.વિત અધિનિયમ-2022માં કરદાતાને અપડેટ આવક વેરા રિટર્ન દાખલ કરવાની સુવિધા દાખલ કરવાની સુવિધા આપવામાં આવી છે. જો કોઈ કારણે કરદાતા રિટર્ન દાખલ નથી કરી શકતો કે તે કોઈ આવક બતાવવી ભુલી જાય છે તો તે આકલન વર્ષ પુરું થવાના 24 મહિનામા અપડેટ રિટર્ન દાખલ કરી શકે છે.



કરદાતાએ અપડેટ રિટર્નમાં બધી જાણકારીઓ આપવી પડશે. તેમાં મૂળભૂત વિવરણ, પહેલા દાખલ કરેલ રિટર્નની વિગત, રિટર્ન દાખલ કરવાનું કારણ સામેલ છે. જો કોઈએ પહેલા રિટર્ન નથી ભર્યું તો પણ અપડેટ રિટર્નથી નવું રિટર્ન દાખલ કરી શકાય છે. અપડેટ રિટર્ન ભરવા માટે પણ કરદાતાએ પેમેન્ટ કરવું પડી શકે છે. સંબંધીત આકલન વર્ષ પુરું થયાના 12 મહિનામાં આઈટીઆર-યુ દાખલ કરવા માટે કુલ કર જવાબદારી અને વ્યાજના 25 ટકાના બરાબર વધારાનો કર આપવો પડે છે, જયારે 12 મહિના બાદ અને બે વર્ષ પહેલા ભરવા પર 50 ટકા વધારાનો કર ભરવો પડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application