Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હોશંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે નર્મદાપુરમ રેલવે સ્ટેશન થશે, રાજપત્રમાં સૂચના જાહેર કરી

  • January 28, 2023 

ભોપાલ રેલવે મંડળમાં હબીબગંજ બાદ હવે વધુ એક રેલવે સ્ટેશનનું નામ બદલાવા જઈ રહ્યુ છે. હોશંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે નર્મદાપુરમ રેલવે સ્ટેશન હશે. કેન્દ્ર સરકારની પરવાનગી બાદ પરિવહન વિભાગે રાજપત્રમાં આની સૂચના જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય સરકાર હોશંગાબાદ વિભાગ અને જિલ્લાનું નામ બદલીને નર્મદાપુરમ કરી ચૂકી છે. 




ઉલ્લેખનીય છે કે, ભોપાલનાં હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ પણ બદલીને વર્ષ-2021માં રાણી કમલાપતિ સ્ટેશન કરવામાં આવી ચૂક્યુ છે. જયારે 15 નવેમ્બર 2021એ આદિવાસી ગૌરવ દિવસનાં અવસરે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલ આવ્યા હતા, ત્યારે તેમણે વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ નવા ક્લેવરમાં હબીબગંજ રેલવે સ્ટેશનનું રાણી કમલાપતિ સ્ટેશન તરીકે લોકાર્પણ કર્યુ હતુ. 



ગયા વર્ષે નર્મદા જયંતી નિમિત્તે તારીખ 8 ફેબ્રુઆરીએ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે હોશંગાબાદ શહેરનું નામ બદલીને નર્મદાપુરમ કરવાની જાહેરાત કરી. જે બાદ કેન્દ્ર તરફથી આ બાબતનું નોટિફિકેશન જારી થયા બાદ આની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ હતી. જોકે ત્યારે રેલવે સ્ટેશનનું નામ બદલાયુ નહોતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News