Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મધ્યપ્રદેશના છતરપુરમા ભયાનક અકસ્માત : રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી જતા સાત લોકોના મોત નિપજયાં

  • August 20, 2024 

મધ્યપ્રદેશના છતરપુરમાં મંગળવારે ભયાનક અકસ્માત સર્જાયો છે. બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ અકસ્માત NH 39 પર કદારી નજીક સવારે લગભગ 5 વાગ્યે થયો હતો.

શ્રદ્ધાળુઓ છતરપુર રેલવે સ્ટેશનથી ઓટો રિક્ષામાં બેસીને બાગેશ્વર ધામ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા પરિવારની ઓળખ કરવામાં આવી છે જે લખનઉનો છે. આ પરિવાર તેમની એક વર્ષની દીકરીનું મુંડન કરાવવા માટે બાગેશ્વર ધામ જઈ રહ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા અન્ય પાંચ લોકોની ઓળખ થઈ નથી.હાલ  આ અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application