Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર : શારીરિક અને માનસિક ત્રાસ આપતો પતિ વિરુધ્ધ ફરિયાદ

  • January 12, 2021 

સરદાર પટેલ હાઉસીંગ બોર્ડ સેકટર-14માં રહેતી રંજનાબેન જયદીપસિંહ રાઠોડે પોતાના પતિ જયદીપસિંહ રાઠોડ વિરુધ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

 

 

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રંજનાબેનના લગ્નને 16 વર્ષ થયા છે અને હાલમાં પતિ કોઈપણ કામધંધો કરતો નથી. પત્નીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, લગ્નજીવન દરમિયાન સંતાન નહિ હોવાથી પતિ જયદીપસિંહ વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. રંજનાબેન રાત્રે ઘરે હતા ત્યારે પતિ જયદીપસિંહે સંતાન મામલે પુન: ઝગડો કરી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આથી પત્નીએ ગાળો નહિ બોલવાનું જણાવતા તે ઉશ્કેરાયો હતો અને મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

 

 

રંજનાબેનએ આ વાતની જાણ તેમના પિતાને કરતા પિતા રાત્રે જ ગાંધીનગર આવી પુત્રીને સાથે લઈ ગયા હતા અને રંજનાબેનએ પતિ વિરુધ્ધ સેકટર-7 પોલીસ મથકમાં શારિરીક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application