Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાસરીમાંથી પિયર જવાનું કહીને પરિણીતાએ કેનાલમાં છલાંગ લગાવી આપઘાત કર્યો

  • March 31, 2021 

ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડા ગામે રહેતાં રણજીતજી સોલંકીની ર૮ વર્ષીય પુત્રી પલકના લગ્ન બાર વર્ષ અગાઉ રણાસણ ગામના કલ્પેશજી ઠાકોર સાથે થયા હતા અને આ લગ્ન જીવનથી પલકે બે દીકરીઓને જન્મ આપ્યો હતો. પલક સવારના સમયે સાસરી રણાસણથી પિયર ડભોડા જવાનું કહીને નીકળી હતી. બન્ને દીકરીઓ ઘરે જ હતી. તે દરમિયાન જ મિયતપુરા નર્મદા કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવતાં અડાલજ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આ મૃતદેહ પલકનો હોવાનું બહાર આવ્યું હતું.

 

 

 

 

આ બનાવ અંગે અડાલજ પોલીસ મથકમાં જમાદાર રતનલાલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પરિણીતાના આપઘાત બાબતે વધુ તપાસ શરૃ કરી હતી. મહિલાનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવીલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો અને પરિવારજનોના નિવેદન નોંધવા માટેની પણ તજવીજ શરૃ કરવામાં આવી હતી. પરિણીતાના અંતિમ પગલાંથી તેની બે નાની દીકરીઓ મા વગરની બની છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application