Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બ્રીજ ઉપર ઉભેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતા એકનું મોત

  • July 16, 2021 

ગાંધીનગર-સરખેજ હાઈવે ઉપર ખોરજ બ્રીજ ઉપર ટ્રક બગડતાં ચાલકે તેને ઉભી રાખી હતી. તે દરમિયાન કારના ચાલકે ઓવરટેક કરવા જતાં આ ટ્રકની પાછળ કાર ઘુસાડી દેતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાજુમાં બેઠેલા અન્ય વ્યક્તિને પણ ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં સારવાર દરમિયાન ચાલકનું મોત નીપજયું હતું.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજકોટ ગોંડલના લુણીવાવ ગામે રહેતા છત્રપાલસિંહ જાડેજા એસઆરપી ગૃ્રપ-૧7માં ફરજ બજાવે છે અને છેલ્લા બે મહિનાથી તેઓ ગાંધીનગર સચિવાલયમાં કામ કરી રહયા છે તેમને ફરીયાદ નોંધાવી હતી કે, તેમના વતન લુણીવાવ ખાતે જવાનું હોવાથી રજા લઈને ઈસ્કોન સર્કલ પહોંચ્યા હતા જયાં લુણીવાવ ગામમાં રહેતા મિત્ર સતીષભાઈ મનસુખભાઈ હરણેસાને ફોન કરીને બોલાવ્યા હતા. સતીષભાઈ અને છત્રસિંહ કારમાં બેસી વાતો કરતા હતા અને તેમને પણ લુણીવાવ જવાની ઈચ્છા દર્શાવતાં સતીષભાઈ છત્રપાલસિંહને પરત મુકવા માટે ગાંધીનગર આવવા નીકળ્યા હતા. સતીષભાઈ કાર ચલાવી રહયા હતા તે દરમિયાન વૈષ્ણોદેવીથી આગળ ખોરજ બ્રીજ ઉપરથી કાર પસાર થઈ રહી હતી.

 

 

 

 

તે સમયે અન્ય કારને ઓવરટેક કરવા જતાં આગળ ઉભેલી ટ્રકની પાછળ તેમની કાર ઘુસી ગઈ હતી અને સતીષભાઈ અને છત્રપાલસિંહને ઈજાઓ પહોંચી હતી જેના પગલે અન્ય લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન સતીષભાઈનું મોત નીપજયું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application