અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર રવિવારથી બુધવારના સવાર સુધી ટ્રાફિક જામને લઇ હજારો વાહનોના પૈડાં થંભી ગયા હતા. જયારે બુધવારની સવારથી હાઇવે પર ટ્રાફિક હળવો થતાં જ પુનઃ વાહનો પુરપાટ દોડવા લાગ્યા હતા. જોકે બુધવારના મોડી સાંજે આમલાખાડી બ્રિજ પર પુરપાટ દોડતી વોલ્વો સરકારી બસ, ટ્રક, કન્ટેનર અને કાર વચ્ચે ઓવરટેક કરવા જતા ભટકાતા હતાં. ચાર ગાડી એક પછી એક ભટકતા બ્રિજ આખો જામ થઇ ગયો હતો. જેને લઇ એક તરફ પાછળ વાહનોની કતાર જામી જવા પામી હતી. અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ના હતી. અકસ્માત ના થોડા જ ક્ષણો બાદ એક કાર અને એક કન્ટેનર ચાલક ત્યાંથી નીકળી ગયા હતા જ્યારે સરકારી બસ અને ટ્રક એકમેકમાં ફસાઈ જતા ત્યાં જ થંભી ગયા હતા. જેને લઇ રોડ બ્લોક થઇ જવા પામ્યો હતો. ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને માર્ગ હળવો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application