Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જર્જરિત મકાન ધરાશાયી થતાં એક બાળકી સહીત ચાર લોકો ઈજાગ્રસ્ત, એકનું મોત

  • July 10, 2023 

અમદાવાદનાં મીઠાખળીમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક બાળકી સહિત ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. તેમજ મકાનમાં દટાયેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યારે નાના બાળક સહિત ચાર જેટલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સવારે 07:03 કલાકે ફાયર કંટ્રોલ રૂમ ખાતે ત્રણ માળનું મકાન મીઠાખળી ગામ વિસ્તારમાં ધરાશાયી થવાના મેસેજ મળતા નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતે બચાવ કોલ કરાયો હતો. ત્યારબાદ તરત જ ફાયર સ્ટેશન ખાતેથી ઈમરજન્સી ટેન્ડર વ્હીકલ સ્ટાફ સહિત ઘટના સ્થળે જવા રવાના થયું થયું હતું. ઘટના સ્થળે મકાનની અંદર એક માણસ દબાયેલા હોવાની માહિતી મળતા તાત્કાલિક તેની બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. માણસને બહાર કાઢીને 108ની મારફતે મેડિકલ સારવાર અર્થે હોસ્પિટલ સાથે મોકલી આપ્યો અહેવાલ અનુસાર મૃતકનું નામ વિનોદભાઈ ભીખાભાઈ દાતણીયા તરીકે થઈ હતી.



જ્યારે ઘરમાંથી સુરક્ષિત બચાવાયેલા લોકોની ઓળખ ગૌરવભાઈ મુકેશભાઈ દાતણિયા, કિશનભાઈ મુકેશભાઈ દાતણીયા અને તનિશા કિશનભાઈ દાતણિયા તરીકે થઈ હતી. તનિશા માત્ર 2 વર્ષની બાળકી છે. જયારે વહેલી સવારે જ આ મકાન ધરાશાયી થઈ હોવાની માહિતી મળતાં જ બે ઈમરજન્સી રિસ્પોન્સ વ્હિકલ, એક ઈમરજન્સી ટેન્ડર, એક મોટું ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમાં ઘણાં અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application