Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ નાર્કોટિક્સ બ્યુરોના ભૂતપૂર્વ વડા સમીર વાનખેડેને મારી નાંખવાની ધમકી મળી

  • October 13, 2023 

મુંબઈ નાર્કોટિક્સ બ્યુરો (એન.સી.બી.)નાં ભૂતપૂર્વ વડા સમીર વાનખેડેને બાંગ્લાદેશથી કથિત રીતે 'ધાર્મિક કટ્ટરપંથી' દ્વારા  મારી નાંખવાની ધમકી મળ્યા બાદ પોલીસે તપાસ ચાલુ કરી છે. હાલમાં ચેન્નાઈમાં ફરજ બજાવતા વાનખેડેને સોમવારે બપોરે ધમકી ભર્યો ફોન કરવામાં આવ્યો હતો. મુંબઈમાં વાનખેડેનું કાયમી નિવા સસ્થાન છે. તેમણે મુંબઈ પોલીસ કમિશનર અને ગોરેગામ પોલીસને એક ઈ-મેલ મોકલી ધમકીની જાણ કરી હતી. અગાઉ એક કાર્યક્રમમાં ઈન્ટરવ્યુ આપતા વાનખેડેએ કહ્યું હતું કે, તેઓ અંડરવર્લ્ડથી ડરતા નથી. અંડરવર્લ્ડના ગુંડા અમારે માટે ખૂનના ગુનેગારો છે.



તેમના નામ જણાવીને અમે તેમને પ્રસિધ્ધિ આપવા માંગતા નથી. વિદેશમાં બેસીને ધમકી આપવા કરતા, હિંમત હોય તો મારી સામે આવીને વાત કરવી જોઈએ. અગાઉ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ પ્રકરણના લીધે વાનખેડે ચર્ચામાં હતા. એન.સી.બી.એ બીજી ઓક્ટોબર, 2021ના મુંબઈની ગોવા જતા કાર્ડેલિયા ક્રુઝ પર દરોડા પાડી ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. આ મામલામાં આર્યન ખાન અને અન્યની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં આર્યનને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ કેસમાં વાનખેડેની તપાસ પ્રક્રિયાને પર અનેક સવાલો ઉભા થયા હતા. તેમના પર ભ્રષ્ટાચાર આરોપો મૂકાયા હતા. CBIએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application