Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરેલી માર્કેટ યાર્ડમાં ઘઉંની બોરીઓ ઉતારતી વખતે દુર્ઘટના સર્જાતાં પાંચ મજૂરો દટાયા, એક મજૂરનું મોત નિપજ્યું

  • September 07, 2024 

અમરેલી માર્કેટયાર્ડમાં ઘઉંની બોરીઓ ઉતારતી વખતે દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં 5 મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અમરેલી માર્કેટયાર્ડમાં વેપારીના ત્યાં મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ ઘઉંની બોરીઓ 5 મજૂરોના ઉપર પડી હતી. બોરીઓની નીચે દબાયેલા મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ખીજડિયાના વિપુલ દિનેશ કનક (ઉ.વ.30) નામના મજૂરનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 4 મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ મજૂરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News