Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ, આ આગમાં ત્રણ લોકોનાં મોત

  • October 16, 2024 

મહારાષ્ટ્રના આર્થીક નગર મુંબઈથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં 14 માળની એક ઈમારત રિયા પેલેસમાં 10માં માળે ભીષણ આગ લાગી જતાં 3 લોકો મૃત્યુ પામી ગયાની માહિતી સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે ધસી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જયારે આ ઘટના અંધેરી વેસ્ટમાં લોખંડવાલા કોમ્પલેક્ષની ઈમારત બની હતી.


જેનું નામ રિયા પેલેસ બિલ્ડિંગ છે. સવારે લગભગ આઠ વાગ્યાના સુમારે આગની ઘટના બની હતી. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધી 3 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. જયારે 10માં માળે લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મૃતકોની ઓળખ ચંદ્રપ્રકાશ સોની (ઉ.વ.74), કાંતા સોની (ઉ.વ.74) અને તેમના હેલ્પર પેલુબેટા (ઉ.વ.42) તરીકે થઇ હતી. ફાયર બ્રિગેડ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'આગ લાગવાની ઘટનામાં ત્રણ લોકો દાઝી જતાં મોત નિપજ્યા છે. તેમણે કહ્યું કે સવારે નવ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application