Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં દીપડાએ વાછરડીનો શિકાર કરતાં ગ્રામજનોમાં દહેશત

  • June 13, 2021 

વાલોડમાં દીપડા ફરી રહ્યા હોવાની દહેશત વચ્ચે ગત રાત્રે ગામમાં એક પશુપાલકના વાછરડીને દીપડાએ શિકાર બનાવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર વાલોડ ગામના ઘાંચીફળિયામાં ગત રાત્રીએ દીપડાએ ફરી એકવાર વાછરડીનો શિકાર કર્યો છે. સ્થાનિકો મુજબ દીપડાએ આજ જ્ગ્યાએથી અગાઉ પણ બે શિકાર કર્યા છે. વનવિભાગ પાસે આધુનિક ટેકનોલોજી હોવા છતાં દીપડાને પકડવામાં માટે માત્ર પાંજરૂ મૂકી સબસલામત ના દાવા કરી રહ્યું છે. ટ્રેપ કેમેરા કે સીસીટીવી કેમેરા કોઈ પણ વસ્તુ વગર દીપડાને પકડવુંએ પણ અંધારામાં તિર મારવા જેવું છે. 

 

 

 

 


વાલોડના ઘાંચી ફળિયાના રહીશ સાઈદ ભાઈ અમલીવાળા ને ત્યાંથી બે થી અઢી વર્ષની વાછરડીનો શિકાર થયો છે.જેની જાણકારી  wwccb વોલીએન્ટર ઇમરાન વૈદ દ્વારા વાલોડ વનવિભાગને કરવામાં આવી હતી.

 

 

 

 

જોકે વાલોડમાં વાછરડીને દીપડાએ શિકાર બનાવ્યો હોવાની આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે વન વિભાગ દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application