Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લુધિયાણાની નજીક સમરાલા ખાતે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો : બે મહિલાનાં ઘટના સ્થળ ઉપર મોત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

  • May 22, 2024 

પંજાબના લુધિયાણાની નજીક સમરાલા ખાતે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં આવેલા ચહેલા ગામમાં સવારે શ્રદ્ધાળુઓથી ભરેલી ટુરિસ્ટ બસ હાઇવે પર ઊભેલા ટ્રકમાં ઘૂસી ગઇ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે બસમાં હાજર બે મહિલા શ્રદ્ધાળુ ઓન ધી સ્પોટ મૃત્યુ પામી ગઇ હતી જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.


ત્યારબાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના ઈન્દોરની વતની મીનાક્ષી અને સરોજબાલા તરીકે થઇ હતી. ઈન્દોરમાં રહેતા ઋષભે જણાવ્યું કે, અમે લોકો ઈન્દોરના વતની છીએ અને બસમાં કેદારનાથ જઇ રહેલા બધા લોકો ખેડૂત પરિવાર સાથે સંકળાયેલા હતા. બધા લોકો ચારધામમાં સામેલ કેદારનાથની મુલાકાતે જઈ રહ્યા હતા. અમે હરિદ્વારથી અમૃતસર માટે રવાના જ થયા હતા અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત થતાં જ હાહાકાર મચી ગયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application