Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંગાળની ખાડીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા

  • November 08, 2023 

મંગળવારે એટલે કે ૭ ઓક્ટોબરના રોજ સવારે બંગાળની ખાડીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા સવારે ૫.૩૨ના સુમારે આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપનું સ્થાન બંગાળની ખાડીમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. જો કે ભૂકંપનું કેન્દ્ર આંદામાન નિકોબાર ટાપુઓથી દૂર છે. આ ભૂકંપ ખાડીમાં આવ્યો હોવાના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.


ગઇકાલે ૬ નવેમ્બરના રોજ દિલ્હી-સહિત ઉત્તર ભારતમાં યુપી, બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા જેવાં રાજ્યોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. છેલ્લા ઘણા સમયથી ઉત્તર ભારતમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. સોમવારે ભૂકંપનો આંચકો અનુભવાયો તે અગાઉ શુક્રવારે રાત્રે પણ લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ વખતે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઇ મોટું નુકસાન કે જાનહાનિ થઇ નહોતી.


ઉલ્લેખનીય છે કે નેપાળના પશ્ર્ચિમ ભાગમાં જાજરકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ઘણી જાનહાનિ થઇ તેમજ ઘણા મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું હતું. નેપાળમાં આવેલા ભૂકંપ બાદ ઉત્તર ભારતમાં પણ આંચકા અનુભવાયા હતા. નોંધનીય છે કે શુક્રવારે નેપાળમાં આવેલા ભકંપમાં ૧૫૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપના આંચકા દિલ્હી- સુધી પણ અનુભવાયા હતા. લોકો ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા.નેપાળના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર જાજરકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક સમય અનુસાર સાંજે ૪.૩૧ કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર રાજધાની કાઠમંડુમાં પણ અનુભવાઈ હતી. તેમજ નવ મિનિટ પછી નેપાળના આ જ વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા. ત્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application