Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાના હસ્તે જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટ્સનું કરાયું વિતરણ

  • July 03, 2021 

 કોરોના સેવાયજ્ઞ” અભિયાન અંતર્ગત રાજભવન- ગાંધીનગર તરફથી “યુવા અનસ્ટોપેબલ” નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજ-વસ્તુઓની રાશનકિટ વિતરણ કરવાના રાજ્યવ્યાપી અભિયાન ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા શરૂ કરાયું છે. સમગ્ર ગુજરાતમાં ૧ લાખ કોરોના વોરીયર્સને રાશનકિટ આપવાના આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લાના ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી-સહકારી અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ડી.એ. શાહ, CDMO અને સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા વગેરેની ઉપસ્થિતિમાં આજે જિલ્લાના કોરોના વોરીયર્સને આ કિટ્સનું વિતરણ કરાયું હતું.

 

 

 

 

આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મહામારીમાં જે લોકોએ ખૂબ સક્રિયપણે કામગીરી બજાવી છે, તેવા કોરોના વોરિયર્સ, ડોક્ટર્સ, નર્સ, સફાઈ કામદાર સહિતના બધા જ લોકોએ કોરોનાને રોકવા માટે સફળ કામગીરી કરી છે તેવા લોકોને ગુજરાતના રાજ્યપાલશ્રી તરફથી NGO થકી આવા કોરોના વોરિયર્સને જીવનજરૂરી ઉપયોગી ચીજવસ્તુઓ રાશનકીટ વિતરણના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ ૩૪૦૦ જેટલી કિટ્સનું વિતરણ કરાયું છે. આ કાર્યને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે, આવા કાર્યો થકી આ પ્રકારની કામગીરી કરનારને પ્રોત્સાહન મળતું હોઇ, તે ખરેખર આવકારદાયક છે. ભૂતકાળમાં કે વર્તમાનમાં કોરોનાને હરાવવા આપણે કરેલી સફળ કામગીરી આવનારા દિવસોમાં પણ અવિરતપણે ચાલુ રાખીશું તેમ જણાવી હજી પણ આગામી દિવસોમાં કોરોના વોરિયર્સનું આ રીતે યોગદાન મળતું રહેશે, તેવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિતના તમામ તાલુકાઓમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર ડોક્ટર્સ,  નર્સિંગ સ્ટાફ, આશાવર્કર, સફાઈ કામદાર, પંડિત દિન દયાલ ભંડાર (વાજબી ભાવની દુકાન)ના સંચાલક, તોલાટ, કોમ્પ્યુટર ડેટા ઓપરેટર સહિતની વ્યક્તિઓ-કર્મચારીઓની જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબના ૩૪૦૪ જેટલા લાભાર્થીઓ માટે ફાળવાયેલી આ રાશનકિટ્સના જિલ્લાકક્ષાએ વિતરણની સાથોસાથ જિલ્લાના જે તે તાલુકાઓ અને વિસ્તાર માટે નિમાયેલા સંબંધિત નોડલ અધિકારીશ્રીઓ અને તેમના વિસ્તારના લાભાર્થી કોરોના વોરીયર્સની સંખ્યા મુજબની કિટ્સનો જથ્થો આજે રાજપીપલા ખાતેથી રવાના કરાયો છે અને તેમના મારફત આ  કિટ્સ વિતરણની કામગીરી પૂર્ણ કરાશે.

 

 

 

 

કોવિડ-૧૯ રાજપીપલાની હોસ્પિટલ ખાતે ડેટા ઓપરેટર તરીકે ફરજ બજાવી રહેલા કોરોના વોરિયર્સ શ્રી જયેશભાઇ નટુભાઈ વસાવાએ આ કિટ્સના વિતરણ બદલ કૃતજ્ઞતા સાથે તમામ સ્ટાફગણ બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન અમારા કુટુંબની ચિંતા કરવાને બદલે અમોએ હોસ્પિટલમાં સારવાર માટે આવનારા દરદીઓના સ્વાસ્થ્યની સાથોસાથ હોસ્પિટલ દ્વારા વધુ સારી અને શ્રેષ્ઠ સેવાઓ કઈ રીતે આપી શકાય તેના સતત ચિંતનને લીધે અમોએ અમારા ઘરના કામ પણ આ સમયગાળા દરમિયાન છોડીને અહીં હોસ્પિટલમાં રહીને આપેલી નોંધપાત્ર સેવાઓ બદલ અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application