Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘર ઉપર વિજળી પડવાથી આગ : લોકોએ પાણીનો છંટકાવ કરી આગ ઓલાવી

  • November 24, 2021 

ધરમપુરના આસુરા ગામના જમાદાર ફળીયામાં રમેશભાઈ ભાયજનભાઈના ઘરમાં રહેતા તેમના પુત્ર ઉમેશભાઈની પત્ની સોમવારે બે બાળકો સાથે સવારે સાત વાગ્યે ખેરગામ તાલુકાના બહેજ ગામે ગઈ હતી અને સાંજે ઉમેશ પણ બહેજ સાસરે ગયો હતો. જોકે આ દરમિયાન સોમવારે રાત્રે અચાનક ઘર ઉપર વિજળી પડવાથી આગ લાગી ગઈ હતી જેને લઈ આસપાસના લોકો દોડી આવી આગ પર  પાણીનો છંટકાવ કરી ઓલવી હતી.






પરંતુ સદનસીબે પરિવાર બહાર ગયો હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ના હતી. બનાવ અંગે તલાટીએ તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો અને  ઘટનાની જાણ થતા ગામના અગ્રણીએ પરિવારની મુલાકાત લીધી હતી. જયારે ઉમેશભાઈના જણાવ્યા પ્રમાણે. આગમાં 2 પલંગ, સિલિંગ ફેન, કબાટ, મોબાઈલ, પૈસા, લાયન્સસ, બેંક પાસબુક, સ્કૂલના પુસ્તકો સહિત અગત્યના પુરાવાઓ નાશ પામ્યા હતા અને બીજું આર્થિક નુકશાન પણ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application