જૂનાગઢના તાલુકાના આણંદપુર પ્લોટ વિસ્તારમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટ તરીકેનો વ્યવસાય કરતા રાજેશભાઈ મૂળજીભાઈ રાઠોડે કોન્ટ્રાક્ટના કામના પૈસા વહેલા મોડા પાસ થતા હોવાથી પૈસાની જરૂર હોવાથી ચારેક વર્ષ પહેલાં બિલખાના હમીરભાઇ વાસુરભાઈ વાળા પાસેથી એક લાખ રૂપિયા 10% વ્યાજ લીધા હતા ત્રણ વર્ષ સુધી દર મહિને 10000 મળી કુલ 3.60 લાખ રૂપિયા અમીરભાઈ તથા કૌશિકભાઈને ચૂકવ્યા હતા.
વ્યાજ ચૂકવવામાં મોડું થાય તો આ લોકો માથાકૂટ કરતા હતા અને ધમકી આપી ડરાવતા હતા વ્યાજ ચૂકવવામાં મોડું થતા એક લાખ રૂપિયા પેનલ્ટી માંગી હતી રાજેશભાઈએ પોતાની પાસે પૈસા ન હોવાનું કહેતા પિતા પુત્રએ પતાવી દેવા અને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી આથી ડરી ગયેલા કોન્ટ્રાક્ટરે પોતાના આણંદપુરના મકાન પર એક લાખ રૂપિયાની લોન લઈ વ્યાજખોરોને ચૂકવ્યા હતા. ત્યારબાદ પણ બે લાખ રૂપિયા માંગી ધમકી આપતા હતા.
આ લોકોના વ્યાજના પૈસા આપવા બે વર્ષ પહેલા ખડીયાના અરજણભાઈ ઢોલા તેમજ તેના દીકરા આશિષ અરજણ ઢોલા પાસેથી રૂપિયા 40,000 10% વ્યાજેલ લીધા હતા તેનું દર મહિને 4000 વ્યાજ આપતા હતા. વ્યાજ ચૂકવવામાં મોડું થાય તો 5000 પેનલ્ટી લેતા હતા બે વર્ષ દરમિયાન 40,000 ના 1.20 લાખ ચૂકવ્યા બાદ પૈસા આપવાનું બંધ કરી દેતા અરજણભાઈએ 10,000 રૂપિયા દે નહીંતર ગામમાં રહેવા નહીં દઈએ અને મારી નાખીશું તેવી ધમકી આપતા રાજેશભાઈએ 10000 આપ્યા હતા. તા. 20ના અરજણભાઈ અને તેના પુત્ર આશિષે ૩૦ હજારની માંગણી કરી હતી રાજેશભાઈ પાસે પૈસા ન હોવાથી ના પાડતા તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી તારું મોટરસાયકલ મૂકી જાજે નહિતર સારાવાટ નહીં રહે તેવી ધમકી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500