Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધાર્મિક સ્થળો પર મનપા તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું : દરગાહ તોડી પાડવામાં આવી

  • March 11, 2024 

રાજ્યમાં અવારનવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.  ત્યારે આવી જ એક ઘટના જૂનાગઢમાં બની છે.  જૂનાગઢમાં ધાર્મિક સ્થળો પર મનપા તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહ તોડી પાડવામાં આવી છે. આ ઉપરાંત હિન્દુ ધર્મના મંદિરોનું પણ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. જુનાગઢના તળાવ દરવાજા પાસે આવેલા જલારામ મંદિર પણ તોડી પડાયું છે. એટલુ જ નહીં રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામદેવપીરનું મંદિર પણ ડિમોલિશન કરાયુ છે. જુનાગઢમાં મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનનું ઓપરેશન પાર પાડવામાં આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application