Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દૂધ પીવડાવ્યા બાદ પાંચ મહિનાની બાળકીનું મોત,અઠવા પોલીસની તપાસ બાદ મોતનું કારણ સામે આવશે

  • February 03, 2023 

સુરતમાં એક અજુગતી ઘટના સામે આવી છે જેમાં માતાએ રાત્રિ દરમિયાન 5 મહિનાની બાળકી ને સ્તનપાન કરાયુ હતું પંરતુ બાદમાં ઊંઘમાંથી જાગી ન હતી અને મોત નીપજ્યું હતું.


સુરત અઠવા વિસ્તારમાં રહેતા એક પરિવારની 5 મહિનાની બાળકી આક્સમિત રીતે મોત થયું છે દૂધ પીવડાવ્યા બાદ 5 મહિનાની બાળકીનું મોત થયું છે ..માતાએ રાત્રી બાળકીને સ્તનપાન કરાયું હતું.ઊંઘ માંથી જાગી ન હતી..સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી..ફરજ પર હાજર તબીબો મૂર્તક જાહેર કરી છે જોકે આ મામલે અઠવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી મૃતદેહને કબજો લઇને પીએમ અર્થ ખસેડી કાર્યવાહી હાથ ધરી છે ..જોકે પોલીસ તપાસ બાદ મોતનું કારણ સામે આવશે.


આકસ્મિક મોત છે કે અન્ય કોઈ કારણોસર મોત થયું તેતો પી.એમ રિપોર્ટ બાદ જ માલૂમ પડશેમહત્વની વાત એ છે આ મામલે સિવિલના ડોકટરનું કહેવું છે સ્તનપાન કરતી વેળા એ હેમશા બાળકનું માથું ઊંચું હોવું જોઈએ નહિ તો સ્તનપાન દરમિયાન બાળકની શ્વાસ નળી માં દૂધ જતું રહેવાથી શ્વાસ રૂંધાઇ જાય છે તેને કારણે આવા બનાવો બને છે હાલ તો આ મામલે પોલીસે પણ તપાસ આદરી છે સચોટ કારણ તો રિપોર્ટ બાદ જ માલુલ પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application