Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં કરંટ લાગવાથી ૫ શ્વાનના મોત, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

  • July 13, 2022 

વાલોડના પુલ ફળીયામાં કરંટ લાગવાથી ૫ જેટલા શ્વાનોનો સ્થળ પરજ મોત નિપજ્યું હતું,જોકે આ ઘટનાની જાણ જીઇબી બોર્ડના અધિકારીને કરવામાં આવતા તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો.


મળતી માહિતી અનુસાર વાલોડના પુલ ફળિયાના રહીશોના ઘરોમાં અચાનક નદીમાં આવેલ પુરનું પાણી ભરાઇ જતાં જીઇબી બોર્ડ દ્વારા વીજ લાઈનનો વીજ પ્રવાહ બંદ કરીદેવામાં આવ્યો હતો.જોકે તે લાઈનમા  તા.૧૨/૭/૨૦૨૨ ના રાત્રે અચાનક વીજ પ્રવાહ ચાલું થઈ જતા ૫ જેટલા શ્વાનોને કરંટ લાગતા સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. જોકે સદનસીબે લોકોની સતર્કતાથી કોઈ મોટી દુઘર્ટના થઈ ન હતી.


જોકે આ ઘટનાની જાણ જીઇબી બોર્ડના અધિકારીને કરવામાં આવતા અહીના વિસ્તારમાં અચાનક ચાલુ કરવામાં આવેલ વીજ પ્રવાહ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો.સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. બનાવ અંગે જીઇબી બોર્ડના અધિકારીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, કામગીરી બરાબર જ કરવામાં આવી હતી જોકે કોઈકે વીજ ચોરી કરવા માટે ગેરકાયદેસર રીતે જોડાણ કરતા વીજ પ્રવાહ ચાલુ થયો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application