Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઠગાઈના ગુનામાં પોલીસે જેલભેગા કરેલા આરોપીની જામીન મુક્તિની માંગને કોર્ટે નકારી

  • July 03, 2022 

સુરતના વરાછા ખાતે ગ્લોબલ માર્કેટમાં દુકાન ખોલીને સુરતના ટેક્ષટાઈલ ટ્રેડર્સ પાસેથી કુલ રૂ.3.95 કરોડની કિંમતના ઉધાર ગ્રે કાપડનો જથ્થો ખરીદીને પેમેન્ટ નહીં આપી ઠગાઈના ગુનામાં  વરાછા પોલીસે જેલભેગા કરેલા આરોપીની જામીન મુક્તિની માંગને કોર્ટે નકારી કાઢી છે.


વરાછા ખાતે ગ્લોબલ માર્કેટમાં એડીએસ કલ્ચર તથા આરએનસી એન્ટરપ્રાઈઝના નામે દુકાનો ખોલીને આરોપી સંચાલકો જનક છાટબાર,સ્મીત ચંદ્રકેતુ છાટબાર,અનસ ઈકબાલ મોતીયાણી,અઝીમ રફીક પેનવાલા,રવિ તથા અશ્નિન જેઠુભા ગોહીલ વગેરેએ એકબીજાના મેળા પિપણામાં ફરિયાદી તથા અન્ય વેપારીઓ વપાસેથી કુલ રૃ3.95 કરોડની કિંમતના ઉધાર ગ્રે કાપડનો જથ્થો ખરીદ્યો હતો. બાદમાં પેમેન્ટ કર્યા વગર માલ બારોબાર ઓછા ભાવે વેચી માર્યો હતો.વેપારીઓની ફરિયાદ બાદ વરાછા પોલીસે આરોપી અઝીમ રફીક પેનવાલા(રે.સનાબીલ એપાર્ટમેન્ટ, લાલગેટ,રાણી તળાવ) દિક્ષીત બાબુ મિયાણી સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી.


આરોપી અઝીમ પેનવાલાએ પ્રથમદર્શનીય કેસના અભાવે જામીન માંગ્યા હતા.  જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ અશોકકુમાર પંચોલીએ જણાવ્યું હતું કે,હાલના આરોપી વિરુધ્ધ અન્ય 18 કરોડની છેતરપીંડીનો પણ ગુનો નોંધાયો છે. આ કેસના અન્ય ઈરોપી અનસ દુબઈ નાસી ગયો છે. સહ આરોપીઓને પકડવાના બાકી છે. આરોપી અઝીમ પેનવાલા મુખ્ય કાવતરાખોર હોઈ જામીન આપવાથી પોલીસ તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડવા તથા સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે. આ કેસના સહ આરોપી જનક છાટબાર તથા અશ્વિન ગોહીલની આગોતરા જામીનની માંગ કોર્ટે નકારી કાઢી છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application