Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યના ભરના બિલ્ડર્સ અચનાક વધારેલી જંત્રીના મામલે વિરોધ કરશે, બિલ્ડર દ્વારા અપાશે આવેદન

  • February 10, 2023 

નવી જંત્રીના રેટ વધારામાં આવતા સરકાર બાદ હવે કલેક્ટર કચેરીએ પણ બિલ્ડરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં બિલ્ડર્સ એસોસિએશન દ્વારા નવી જંત્રીના મુદ્દે ભાવ વધારાને લઈને વિરોધ કરવામાં આવ્યી રહ્યો છે ત્યારે હવે બિલ્ડરો દ્વારા કલેક્ટરને પણ આવેદન પત્ર આ મામલે આપવામાં આવશે.



અગાઉ સરકાર સાથે બિલ્ડરોએ રજૂઆત કરી છે. બિલ્ડર્સ અને ડેવલપર્સ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. રાજ્યમાં જંત્રીના ભાવને લઈને વધારો કરાયો હતો. ક્રેડાઈ સાથે જોડાયેલા બિલ્ડર્સ અને ડેવલપર્સ કલેક્ટર કચેરી પહોંચી આવેદન પત્ર આ મામલે આપશે.


આ પ્રકારની છે માંગ

અચાના જંત્રીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. પધ્ધતિસર જંત્રીના ભાવ વધવા જોઈએ આ ભાવમાં અચાનક ડબલ વધારો કરાયો છે. અચાન ભાવ વધારો માન્ય નથી. સૂચનોનો અભ્યાસ વિના આ ભાવમાં વધારો કરાયો છે. સરકારે જંત્રી બમણી કરી આ નિર્ણય 3 મહિના પાછળ ઠેલાવો જોઈએ. બાંધકામની જંત્રીના ભાવમાં વધારો ના હોવો જોઈએ.





બિલ્ડર્સ એસોસિએશન દ્વારા જંત્રીના ભાવમાં વધારો થતા આ મામલે સીએમને પણ બિલ્ડર્સ એસોસિએશન મળી ચૂક્યું છે ત્યારે અગાઉ સરકારે અધિકારીઓ સાથે આ મામલેચ બેઠક પણ કરી હતી પરંતુ અગાઉ સરકાર તરફથી એવું પણ નિવેદન સામે આવ્યું હતું કે, આ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી જ્યારે પણ નિર્ણય લેવાશે ત્યારે સરકાર જાણ કરશે. જેથી જંત્રીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા સરકાર તરફથી હાલના તબક્કે વ્યક્ત કરવામાં નથી આવી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application