Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્ય સરકારની સૌથી મોટી કાર્યવાહી : માત્ર 2 વર્ષમાં જ આ લાંચિયા અધિકારીએ પોતાની નોકરી ગુમાવી

  • September 01, 2024 

ભ્રષ્ટાચારના કેસમાં રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત સરકારે નરેશ જાનીને નોકરીમાંથી છૂટા કર્યા છે. તમને જણાવી દઈએ કે આ સરકારી અધિકારી 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો, જેને લઈને સરકારે તેને નોકરીમાંથી છુટા કરવાની મોટી કાર્યવાહી કરી છે.


ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ વિભાગમાં નરેશ જાની નામના અધિકારી ફરજ બજાવતા હતા અને તે મદદનીશ નિયામક તરીકે પ્રોબેશન પિરિયડમાં હતા. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર 2 વર્ષમાં જ આ લાંચિયા અધિકારીએ પોતાની નોકરી ગુમાવી છે. વર્ષ 2022માં નરેશ જાની નોકરીએ લાગ્યો હતો અને માત્ર 2 વર્ષમાં જ પોતાની નોકરી ગુમાવી છે. જૂન 2024થી એમની નોકરી સમાપ્ત કરવાનો આદેશ સરકારે કર્યો છે.તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં કલાસ વન અધિકારી નરેશ જાની અને તેની સાથે કપિલની ધરપકડ કરવામાં આવતા અન્ય લાંચિયા અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ બંને અધિકારીઓએ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા હેરાનગતિ નહીં કરવા લાંચની રકમ માગી હતી.


જો કે તે સમયે આરોપી નરેશ જાની પોલીસના સકંજામાંથી ફરાર થઈ ગયો હતો.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે લાંચિયા અધિકારીઓ સામે આવી રહ્યા છે અને પોતાના મોંઘા મોજશોખ પૂરા કરવા માટે ઘણા અરજદારો પાસે તે મોટી રકમ ખોટી રીતે વસૂલે છે અને અરજદારોને હેરાનગતિ પહોંચાડે છે. આ અગાઉ રાજકોટમાં મનસુખ સાગઠિયા અને અમદાવદામાં હર્ષદ ભોજક જેવા મોટા લાંચિયા અધિકારીઓ પણ પોલીસની પકડમાં છે અને હાલમાં તેમની વિરૂદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News