Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ : કૃષિ પહેલ અંર્તગત આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લામાં ૮૦ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઇ

  • June 01, 2023 

ભરૂચ દ્વારા જીલ્લાના ખેડૂતોને દેશીગાયઆધારિત ઝીરો બજેટ પ્રાકૃત્તિક ખેતીના વ્યાપ વધારવા સારૂ નિરંતર તાલીમોનું આયોજન ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવી રહેલ છે. જીલ્લાની કુલ ૫૪૫ ગ્રામ પંચાયતો અનૂરૂપદસ ગ્રામ પંચાયત દીઠ એકક્લસ્ટર બનાવીને તેમાં ફાર્મર માસ્ટર ટ્રેનર અને ટેકનીકલ માસ્ટર ટ્રેનરની નિયુક્તિ અને સંચાલન હેઠળ ચાર સેશનમાં તાલીમો આપવાની કામગીરી કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ ૧ લી મે -૨૦૨૩થી અમલમાં છે. આ તાલીમોમાં પ્રાકૃત્તિક ખેતીના તમામ આયામો જેવાકે બીજામૃત, જીવામૃત, મિક્ષ ક્રોપીંગ, વાફ્સા અને મલ્ચીંગ જેવા વિષયો પર ખેડૂતોને નિદર્શન આયોજિત કરીને માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા છે.



પરિણામ સ્વરૂપે ખેડૂતોને રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોથી વાકેફ થઇ કોઈ પણ પ્રકારના ખર્ચ વિના, બાહ્યથી કોઈ પણ પ્રકારની સામગ્રી ખરીદ્યાવિના થતી પ્રાકૃત્તિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત થયેલ છે. પ્રાકૃત્તિક ખેતીથી ઉત્પન્નથતી ઉપજ રાસાયણમુક્ત હોઈ માનવ સ્વાસ્થ્ય અનેપ્રકૃત્તિને નુકશાનકારક હોતી નથી. ખેડૂત દ્વારા પ્રાકૃત્તિક ખેતીમાં દેશી ગાયના ગોબર અને ગૌ-મૂત્ર નો ઉપયોગ કરીને જમીનની પોષણ વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવે છે. વિવિધ પ્રકારના ખાતરો જેવાકે જીવામુત્ત અને ઘન જીવામૃત્ત બનાવવા સારૂ વિના ખર્ચ થતી આ પ્રાકૃત્તિક ખેતીથી જમીનના બંધારણમાં અને જમીન સ્વાસ્થ્યમાં અત્યંત લાભદાયી સાબિત થયેલ છે.



રાજ્ય કક્ષાએ રાજ્યપાલશ્રી અને જીલ્લા કક્ષાએ કલેકટરશ્રીનાસીધા માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ–ભરૂચ દ્વારા આયોજિત થતી ખેડૂત તાલીમમાં આજ દિન સુધી ૮૦,૮૦૯ ખેડૂતોએ તાલીમ લઈને પ્રાકૃત્તિક ખેતીની વિધિવત જાણકારી પ્રાપ્ત કરેલ છે. રાજ્યપાલ લિખિત પ્રાકૃત્તિક ખેતીની પુસ્તિકાઓનું પણ ઉક્ત તાલીમમાં વિના મૂલ્યે ખેડૂતોને વિતરણ કરીને સઘન અભ્યાસ સારૂ પ્રેરણા આપેલ છે. જમીનની ફળદ્રૂપતા બાબતે જમીનમાં રહેલ સેન્દ્રીય કાર્બન અગત્યનો ભાગ ભજવે છે. દેશી ગાય થકી જમીનનું પણ પોષણ કરી જમીનને ફળદ્રૂપ બનાવવા પ્રાકૃત્તિક ખેતી મહત્વનો ભાગ ભજવી રહેલ છે. નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્રઅને દશ પરણીઅર્ક જેવા પાક સરક્ષણખેડૂતો જાતે જ બનાવી શકે તે હેતુથી તેના મહત્વ અને નિદર્શન આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને તાલીમોમાં ઉપસ્થિત રાખીને પૂરૂ પાડવામાં આવે છે.



આપાક સરક્ષણ બનાવીને ખેડૂતો ચૂસીયા પ્રકારની જીવાતો, ઈયળો, કીટકોના ઉપદ્રવ સામે વિના મૂલ્યે નિયંત્રણ મેળવી શકે છે. ૧ લી મે -૨૦૨૩થી ભરૂચ જીલ્લામાં કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ અને આગામી સમય દરમ્યાન નીચેની વિગતો મુજબ આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી શાખા અને બાગાયત વિભાગ દ્વારા તાલીમો થકી ખેડૂત તાલીમપૂર્ણ કરી છે. જેમાં આમોદમાં ૮૩૪૫, હાંસોટ ૭૫૦૫, વાગરા ૮૦૨૮, અંકલેશ્વર ૯૭૫૪, જંબુસર ૮૯૨૨, વાલીયા ૭૯૮૫, ભરૂચ ૯૫૨૯, ઝઘડીયા ૧૦૯૪૦, નેત્રંગ ૯૭૯૪ એમ કુલ ૮૦૮૦૯ જેટલા ખેડૂત તાલીમપૂર્ણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News