Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપરનાં અકસ્માતમાં યુવકનું મોત

  • May 03, 2022 

ભરૂચનાં અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસે ઇકો કાર ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારી હતી, જેમાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રનાં અને હાલ અંકલેશ્વરનાં કોસમડી ગામ નજીક આવેલી વ્રજવીલા સોસાયટીમાં રહેતા સમાધાન અજાબરાવ પાટીલ (ઉ.વ.28) નાઓ ગતરોજ સવારનાં અરસામાં પોતાની મોટરસાઇકલ નંબર જીજે/16/એબી/9684 લઈ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા.



તે દરમિયાન પૂરઝડપે ધસી આવેલી ઇકો કાર નંબર જીજે/16/સીએન/7697નાં ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જયારે આ અકસ્માતમાં સમાધાન પાટીલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108ની મદદથી અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application