Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં પીઢ પત્રકાર અને ગાંધીવાદી મહેન્દ્રભાઈ ગાંધીનું આજરોજ નિધન

  • February 23, 2021 

ભરૂચના પીઢ પત્રકાર  મહેન્દ્રભાઈ રમણલાલ ગાંધી 85 વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ દુઃખદ નિધન થયું હતું. ભરૂચના નખશીખ ગાંધીવાદી અને પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા પચાસ કરતા વધુ વર્ષોથી કાર્યરત અને  પોતાના પાક્ષીક વૈષ્ણવી દેવી ઉપરાંત વિવિધ અખબારોમાં ફરજ બજાવનાર મહેન્દ્રભાઈ ગાંધીની છેલ્લા  ત્રણ-ચાર માસથી તબિયત લથડી હતી. આજે તેમનું નિધન થતા ભરૂચના પત્રકારત્વ ક્ષેત્રે એક યુગનો અંત આવ્યો હતો.

 

 

 

તેઓની સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાન નીલકંઠનગર સ્થિત નિવાસસ્થાને નીકળી હતી. જેમાં ભરૂચના પત્રકારો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સહિત પ્રજાજનો જોડાયા હતા.

 

 

 

સદગતની પ્રાર્થનાસભા આગામી ગુરૂવાર તા.૦૩/૦૩ /૨૦૨૧ની સાંજે ૪:૦૦ થી ૬:૦૦ના સમયગાળા દરમિયાન તેમના નીલકંઠ નગર સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવેલ છે.(હનીફ માંજું દ્વારા અંકલેશ્વર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application