Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તસ્કરો રાતનાં સમયે બેંકનું એટીએમ મશીન ઉઠાવી ફરાર, પોલીસ તપાસ શરૂ

  • November 16, 2021 

ભરૂચનાં અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર-48 પર આવેલી નવજીવન હોટલની બાજુનાં શોપિંગમાં ખાનગી બેંકનું એટીએમ સેન્ટર આવેલું છે. જે એટીએમ સેન્ટરને રાતના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ એટીએમમાં તોડફોડ કરી આખેઆખું મશીન ઉઠાવી ફરાર થઈ ગયા હતા. એટીએમ મશીનની ઉઠાંતરીની ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે મશીનમાં કેટલી રકમ હતી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઇ નથી. એટીએમ ચોરીના બનાવમાં તાલુકા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યા હતો અને ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ હાલ તો પોલીસ સીસીટીવી ફૂટેજ આધારે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application