Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ-અંકલેશ્વર હાઈવે ઉપર એસ.ટી. બસનાં ચાલકે કારનાં પાછળનાં ભાગે અથડાતાં અકસ્માત સર્જાયો

  • April 25, 2022 

અંકલેશ્વરનાં ગડખોલ-સુરવાડી ટી ઓવરબ્રિજ ઉપર એસ.ટી. બસ આગળ ચાલતી કારમાં ઘુસી જવા પામી હતી. જ્યાં એસટી બસના ચાલકે કાર પાછળનાં ભાગે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે સમગ્ર ઘટનામાં કોઈપણ જાનહાની નોંધાઈ નથી. અકસ્માતને પગલે એસ.ટી બસમાં સવાર મુસાફરો અટવાયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચ-અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે નંબર-8 ઉપર સરકારી બસ તેમજ ખાનગી ભારદારી વાહનો અવરજવર વધી છે. જયારે રવિવારનાં રોજ ભરૂચ તરફ જઈ રહેલા કાર ચાલાક ગડખોલ ટી બ્રિજ પર ભરૂચ તરફ ઉતરી રહ્યો હતો. 


તે દરમિયાન જૂનાગઢ ડેપોની સરકારી બસ પાછળ ધડાકાભેર ઘુસી જવા પામી હતી જયારે કાર ચાલકે માંડ-માંડ સ્ટેરિંગ પર કાબુ મેળવી કાર થોભાવી દીધી હતી. જેને લઇ ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. જોકે કારનો પાછળનો ભાગનો તો ખુરદો બોલી ગયો હતો અને અકસ્માતનાં પગલે બ્રિજ પર પાછળ વાહનોની લાઈન લાગી જવા પામી હતી. અકસ્માતની જાણ થતાં શહેર પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી રોડ સાઈડ અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડી માર્ગ વ્યવહાર પુનઃ શરુ કર્યો હતો. બનાવ અંગે કાર ચાલકે શહેર પોલીસમાં કે ફરિયાદ નોંધાવતા આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application