Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ : તળાવમાં કોથળામાં નાંખી પથ્થર વડે બાંધી ફેંકી દેવાયેલ યુવતીનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ

  • November 01, 2023 

મહારાષ્ટ્રથી પ્રેમી સાથે ભાગીને અંકલેશ્વરમાં રહેતી યુવતીનો મૃતદેહ કોથળામાં નાંખી પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દેવાયેલ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે વધુમાં જાણવા મળ્યું હતું કે, યુવતી 21 દિવસથી ગુમ હોવાનું સામે આવ્યું છે અને મૃતક યુવતીના પ્રેમીનો ભાઈ હાલ પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે પ્રેમી ફરાર છે. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, પોલીસને બાતમી મળતા તપાસ કરતા તળાવમાંથી પથ્થર બાંધેલો કોથળો મળી આવ્યો હતો. જેમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી હતો.



જોકે તપાસમાં યુવતી મહારાષ્ટ્રીયન હોવાનું અને બે વર્ષ પહેલા પ્રેમી સાથે ભાગીને અંકલેશ્વરમાં રહેતી આવી હોવાનું બહાર આવ્યું હતું. જોકે હાલ યુવતીનો પ્રેમી ફરાર છે. જ્યારે પ્રેમીના ભાઈની પોલીસે અટકાયત કરી તપાસ શરૂ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, યુવતીનો પ્રેમી મજૂરી કામ કરતો હોવાનું અને પોલીસ અટકાયતમાં આવેલો યુવક (ફરાર પ્રેમીનો ભાઈ) ગેરેજ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. યુવતીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ મૃતદેહના નિકાલ કરી દેવાના ઇરાદે કોથળામાં ભરી પથ્થર બાંધી તળાવમાં નાખી દેવાયો હોવાનું કહી શકાય છે. જયારે પોલીસ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે યુવતીના મૃતદેહને સુરત સિવિલ લઈ આવી આગળની તપાસ PI કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application