Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે અજાણ્યા ઈસમનું મોત

  • February 22, 2021 

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે એક અજાણ્યા ઈસમનું કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સાંજના ચાર વાગ્યાના સુમારે અંકલેશ્વર રેલ્વે સ્ટેશનની ઉત્તરે ઓ.એન.જી.સી. બ્રીજ નીચે રેલ્વે કિમી 317/18નાં થાંભલા પાસે ડાઉન મુખ્ય રેલ્વે લાઈન ઉપર ટ્રેન ની અડફેટે એક 40 વર્ષીય અજાણ્યો ઈસમ આવી જતા તેનો જમણો હાથ ખભાના ભાગેથી કપાઈ જતા 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.

 

 

 

મૃતક શરીરે પાતળા બાંધાનો રંગે ઘઉં વર્ણનો, ઊંચાઈ 5 ફૂટ 6 ઈંચ, કમરના ભાગે સ્લેટીયા રંગનું પેન્ટ પહેરેલ હતું. મૃતકના વાલીવારસાઓએ ભરૂચ રેલ્વે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application