Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરના જીતાલી ગામે ધોળા દિવસે મકાન માંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી

  • October 22, 2021 

ભરૂચનાં અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની નવી નગરીમાં અજાણ્યા તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 26 હજાર મળી કુલ 2.30 લાખથી ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરનાં સેંગપૂર રોડ ઉપર આવેલા જીતાલી ગામની નવી નગરીમાં રહેતી ઉજમબેન દીપસિંગ વસાવા જે ગતરોજ પોતાના ઘરે હતી. તે દરમિયાન ફળિયા રહેતા એક બાળકને પોતાના ઘરે રમવા માટે લઈ આવ્યાં હતા અને બાળકને તેના ઘરે મૂકવા ગયા હતા. તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 26 હજાર મળી કુલ 2.30 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ચોરીની ઘટના અંગે અંકલેશ્વર પોલીસે  ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application