Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ : વિદેશમાં અભ્યાસ અર્થે જનારા વિધાર્થીઓને બીજા ડોઝ માટેનું આયોજન ટુંક સમયમાં થશે

  • June 03, 2021 

હાલની કોરાના મહામારીના સમયમાં રાજય સરકાર તરફથી વેકસીન અંગેની મળેલ સૂચના અન્વયે વિદેશમાં અભ્યાસ અર્થે જનારા વિધાર્થીઓ કે જેઓએ કોરોના રસીનો ડોઝ લીધેલ છે. તેઓને બીજા ડોઝ માટેનું આયોજન ટુંક સમયમાં થનાર હોઇ, સદર વિધાર્થીઓને નામ નોંધણી કરવાની થાય છે. આથી વિદેશમાં અભ્યાસ અર્થે જનારા રસીનો પ્રથમ ડોઝ લીધેલ વિધાર્થીઓએ પોતાના તાલુકાના તાલુકા હેલ્થ ઓફીસરની કચેરીમાં પોતાનું નામ સત્વરે નોંધાવવા યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

 

 

 

વધુમાં જણાવવાનું કે નામ નોંધાવવા જતી વખતે આ વિધાર્થીઓએ પોતાના અભ્યાસની વિગતો આધારકાર્ડ, પાસપોર્ટ તથા રસીનો પ્રથમ ડોઝ લીધાના આધાર પુરાવા સાથે લઇ જવાના રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application