Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી : વિરપુરવાળા જલિયાણા જોગીની 223મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી

  • October 31, 2022 


બારડોલી ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ દ્વારા પૂ.જલારામ બાપાની 223મી જન્મ જયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જલારામ જયંતિ નિમિત્તે દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી.કારતક સુદ સાતમના દિવસે અભિજીત નક્ષત્રમાં સંત જલિયાણાનું પ્રાગટ્ય થયું હતું. અને આજે સોમવારના રોજ જલારામ બાપાની 223મી જન્મ જયંતિની સમગ્ર ભારત દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મિનિ વિરપુર તરીકે ઓળખાતા બારડોલીના જલારામ મંદિર ખાતે વહેલી સવારે ગામે ગામથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. તેમજ આસપાસના ગામડાઓમાંથી ભક્તો પગપાળા બાપાના દર્શનાર્થે આવતા ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ દ્વારા તેઓ માટે વહેલી સવારે ચા અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.





દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જલારામ બાવની ઉપરાંત દત્ત બાવનીનું પણ સામુહિક પઠન ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. આખો દિવસ બાપાના દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. જલારામ જયંતિ નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ સરદાર સ્મારક હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 97 બોટલ રક્ત એકત્રિત થયું હતું. સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદીનો હજારોની સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. સાંજે અન્નકૂટ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાત્રિના 9 કલાકે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમ્યાન મંદિરના પૂજારી જીતુભાઈ મહારાજ અને તેમના પરિવારે તેમજ મંદિરના ટ્રસ્ટી અને સભ્યો તેમજ સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application