Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જલાલપોર તાલુકામાં મેલેરીયા અને ડેન્ગ્યુ રોગ વિશે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • June 28, 2022 

મેલેરિયા ફ્રી ગુજરાત- ૨૦૨૨ અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી જલાલપોર દ્વારા જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ આવે તે માટે જુન માસ મેલેરિયા વિરોધી માસ ઉજવણીના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો ઘરે ઘરે જઈ મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવી હતી.


મેલેરિયા  અને ડેન્ગ્યું રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. કોઈ પણ તાવ મેલેરિયા હોઈ શકે છે. તાવ આવે તો નજીકના સરકારી દવાખાનાનો તથા ૧૦૪ તાવ હેલ્પ લાઈનનો ઉપયોગ કરવા આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓ મારફત તાલુકાના ગામેગામ જાણકારી આપી હતી મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી દવાનો છંટકાવ કરી  અને ઓઇલબોલ મૂકી મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો. જળાશયોમાં પોરાભક્ષક માછલી ગપ્પી ફીશ મુકવામાં આવી હતી. ટાયર ટ્યુબ ભંગાર ની દુકાનો અને વર્કશોપ વગેરે સ્થળોએ પોરાનાશક અને સોર્સ રીડક્શન કામગીરી માટે તાલુકામાં મેગા ડ્રાઇવ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application