Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાશનકાર્ડ ધારકો ધ્યાન આપે : તમામ શ્રેણીના રેશનકાર્ડ ધારકોએ રેશનકાર્ડને એક્ટિવ રાખવા તથા રેશનકાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ મેળવવા પ્રમાણિકરણ કરાવવુ ફરજિયાત

  • June 01, 2024 

સરકારની સૂચના મુજબ રેશનકાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રેશનકાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો  લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીના રેશનકાર્ડ ધારકો જેમ કે NFSA-રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ , Non NFSA,  APL- 1,2 એટલેકે ગરીબી રેખા ઉપર, BPL એટલે કે ગરીબી રેખા નીચે અને અંત્યોદય હોય તેઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખી ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખા ને સંપર્ક કરવો અથવા MY RATION CARD MOBILE APP મારફતે એપમાં દર્શાવેલ સ્ટેપ્સને અનુસરી જરૂરી પ્રમાણિકરણ માટે માહિતી સંબંધિત મામલતદાર કચેરીને મોકલી ઈ-કેવાયસી કરાવી શકો છો. જે રાશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી તેઓ તાત્કાલિક ઈ-કેવાયસી કરાવે તેમ જિલ્લા  વહિવટી તંત્ર દ્વારા સર્વ રેશનકાર્ડ ધારકોને જણાવવામાં આવેલ છે. હાલમાં તથા ભવિષ્યમાં મળનારી સુવિધાઓનો લાભ વધુમાં વધુ લેવા માટે રેશનકાર્ડ  પ્રમાણિકરણ કરાવી લેવા ખાસ અનુરોધ કરતા સર્વે જાહેર જનતાને આ અંગે નોંધ લેવા જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News