Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્વચ્છતા અભિયાન અંતર્ગત બારડોલી ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા આસપાસ સાફ-સફાઇ કરાઈ

  • October 19, 2023 

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત બરડોલી નગરમાં સ્વચ્છતા ઝુંબેશ વેગવંતી બનાવી છે. ત્યારે બરડોલી સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા સહિત આસપાસના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી. લોકોમાં દૈનિક ધોરણે સ્વચ્છતા કેળવાય તે હેતુથી તા.૨ ઓકટોબર-ગાંધી જયંતીના દિવસે રાજ્યવ્યાપી શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને આગામી બે મહિના સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે, ત્યારે રાજ્ય સહિત દરેક જિલ્લાઓમાં સઘન રીતે સ્વચ્છતાની કામગીરી થઈ રહી છે. અત્રે નોંધનીય છે ૧ ઓક્ટોબરથી શરૂ થયેલા સ્વચ્છતા અભ્યાનમાં લોકભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને તેજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું છે. ત્યારે સમગ્ર સુરત જિલ્લામાં વિવિધ સ્તરે સફાઇ અભિયાન દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. અને વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવાઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application