Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈનાં મલાડ ઈસ્ટરમાં નિર્માણાધીન ઈમારત ધરાશાઈ થઈ, આ ઘટનામાં બે શ્રમિકોના સ્થળ પર મોત

  • September 05, 2024 

મુંબઈનાં મલાડ ઈસ્ટરમાં નિર્માણાધીન ઈમારત ધરાશાઈ થવાની ઘટના બની છે, જેમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જ્યાર બે ઈજાગ્રસ્ત થયા છે. ચાર શ્રમિકો અંદર ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના ગોવિંદ નગર વિસ્તારમાં બની છે. હાલ ઘટનાસ્થળે પોલીસ સહિત કાફલો પહોંચી ગયો છે અને રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે. મળતા અહેવાલો મુજબ મલાડમાં આજે નવજીવન નામની નિર્માણાધીન બિલ્ડિંગનાં 20 માળનો સ્લેબ પડ્યો છે. આ બિલ્ડીંગ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહી છે. આ ઘટના બપોરે 12.10 કલાકે બની છે. ઘટના અંગે નગર નિગમના અધિકારીઓએ કહ્યું કે, નિર્માણાધીન બિલ્ડિંગના સ્બેનો કેટલોક ભાગ તુટી ગયો છે. ઈજાગ્રસ્ત શ્રમિકોને નજીકની એમ.ડબલ્યુદેસાઈ હોસ્પિટલ ખસેડાયા છે. ડોક્ટરોએ બે શ્રમિકોના મોત થયા હોવાનું જણાવ્યું છે, જ્યારે બે શ્રમિકોની સારવાર ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News