Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માનવીય સબંધો અને માનવતાને શરમાવે તેવી એક ઘટના : પહેલા પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી અને પછી ખુદે આત્મહત્યા કરી

  • May 11, 2024 

માનવીય સબંધો અને માનવતાને શરમાવે તેવી એક ઘટના ઉત્તર પ્રદેશના સીતાપુરથી સામે આવી છે. અહીં એક ચસકેલ મગજના વ્યક્તિએ પહેલા પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી અને પછી ખુદે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપીએ પહેલા તેની માતાને ગોળી મારી અને પછી તેની પત્નીને હથોડી વડે માર મારી હત્યા કરી. તેની હેવાનીયત આટલેથી ન અટકતા, તેણે તેની માતા અને પત્નીની હત્યા કર્યા બાદ તેના ત્રણ બાળકોને પણ છોડ્યા નહીં.


આરોપીએ તેના ત્રણ બાળકોને એક પછી એકને ઘરની છત પરથી ફેંકી દીધા. જેના કારણે ત્રણેય બાળકોના મોત થયા હતા. પરિવારના પાંચ સભ્યોની નિર્દયતાથી હત્યા કર્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે. પોલીસ આ મામલે વાળું તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટના સ્થળની નજીકમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત મૃતકના અન્ય સંબંધીઓની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વ્યક્તિએ પરિવારના તમામ સભ્યોની હત્યા શા માટે કરી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application